પાઠ ૪  -  જ્ઞાન અને તેના અતિચારનો પાઠ

દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું

આગમે - સુત્ર સિધ્ધાંત
તિવિહે - ત્રણ પ્રકારના
પન્નતે - કહ્યા છે
તં જહા - તે જેમ છે તેમ (કહું છું)
સુત્તાગમે - મૂળ સુત્રરૂપ આગમ એટલે ૩૨ શાસ્ત્રો
અત્થાગમે - અર્થરૂપ આગમ અથવા થોકડા વિગેરે
તદુભયાગમે - સુત્ર અને અર્થરૂપ શાસ્ત્ર
જંવાઈધ્ધં - જે, સુત્ર આઘા પાછાં ભણાયાં હોય
વચ્ચામેલઅં - ધ્યાન વિના સુત્રો ભણાયા હોય
હીણંફખરં - અક્ષરો ઓછા ભણાયા હોય
અચ્ચક્ખરં - અક્ષરો અધિક ભણાયા હોય
પયહીણં - પદ ઓછું ભણાયું હોય
વિણયહીણં - વિનય રહિત ભણાયું હોય
જોગહીણં - મન, વચન અને કાયાના અસ્થિર યોગે ભણાયું હોય
ઘોસહીણં - શુધ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય
સુઠુહિન્નં - રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય
દુઠુપડિચ્છિયં - અવિનીતપણે જ્ઞાન લીધું હોય
અકાલે કઓસજ્ઝાઓ - અકાળે સજ્ઝાય કરી હોય
કાલે ન કઓ સજ્ઝાઓ - સજ્ઝાય કરવાને વખતે સજ્ઝાય ન કરી હોય
અસજ્ઝાઇએ સજ્ઝાયં - સજ્ઝાય ન કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી હોય
સજ્ઝાઇએ ન સજ્ઝાયં - સજ્ઝાય  કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી ન હોય

એમ ભણતાં ગણતાં, ચિંતવતાં ચૌદે પ્રકારે કોઈ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત, અનંતા સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં.

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા